અતિ સર્વત્ર વર્જયેત
બુધ્ધિનો અતિરેક જીરવવો સહેલ નહિ
બુધ્ધિનો બોજ ઊંચકવો પણ સહેલ નહિ
લાગણીનો અતિરેક જીરવવો સહેલ નહિ
હૃદયનો ભાર વહેવો પણ કંઈ સહેલ નહિ
બુધ્ધિની કસોટી પર
લાગણીને નાણી જોઉં
હૃદયના રસાયણથી
બુધ્ધિની કઠોરતા હળવી બનાવી દઉ
પણ આમ ન બને તો?
લાગણીની પોચટ જમીન પર
સ્થિર ઊભા ન રહેવાય
બુધ્ધિની કઠોર ભૂમિ પર
વાગતા અણિયાળા પથ્થરોને
વ્યવહાર-દક્ષતાથી દૂર ન કરાય તો?
તો શું થાય?
દુ:ખનો દાવાનલ ભડકે,
અશાંતિની આગ સળગે,
અને એમાં હોમાઈ જઈએ સૌ,
હું, તું, અને તે, બધાંય!
મધુરી ધનિક
આ સળગે સૃષ્ટિ ભડભડ એની જ્વાળાઓમાં દાઝીને,
આ સઘળો નર્કાગાર લઈને ક્યાં જઈશું તું બોલ હવે!
રમેશ પટેલ ‘ક્ષ’
સરસ!
LikeLike
By: પ્રા. દિનેશ પાઠક on મે 31, 2013
at 1:51 પી એમ(pm)
Right and Practical advise in short Sweet Kavita.” Aa To Gagarma Sagar”
Jayant.
C/o. C.Somabhai Tea
LikeLike
By: Jayant S.Patel on મે 18, 2013
at 1:41 એ એમ (am)
wonderful, thanks.
LikeLike
By: Mera Tufan on મે 16, 2013
at 9:11 પી એમ(pm)
Good one
LikeLike
By: smdave1940 on મે 16, 2013
at 1:11 એ એમ (am)
સરસ
LikeLike
By: kishoremodi on મે 15, 2013
at 10:13 પી એમ(pm)