Posted by: Shabdsetu | માર્ચ 9, 2015

સંબંધો જડે છે કેટલાં?

Picture for Ketalaa

સંબંધો જડે છે કેટલાં?

માણસો ટોળે વળે છે કેટલાં!
એમ સંબંધો જડે છે કેટલાં?

સૂચનો લોકો કરે છે એટલાં
વાત મારી સાંભળે છે કેટલાં?

એ ઠઠ્ઠાખોરી હસાવે મંડળી
પંડની હાંસી ગળે છે કેટલાં?

ઓ નસીહત આપનારા તારલા
મયકદામાં જો, ખરે છે કેટલાં?

ક્યાં ખુદાઈ છે અને છે પાક ક્યાં
પણ ખુદા જાતે બને છે કેટલાં?

હોય જો બે ચાર વાતો તો કહું
પણ કિસ્સા તો જીવને છે કેટલાં?

હું હજી તો શ્વસતો છું બાપલા!
વારસો મારા લડે છે કેટલાં?

આજ મારે કાજ કૂટે સ્વજનો
કાલ ઊઠી સ્મરણે છે કેટલાં?

આમ તો મોટા બધા છે મારથી
શોધ, તો જોવા મળે છે કેટલાં?

કિશોર પટેલ

જીવ્યાનો અર્થ શું – ।
‘હોવું ગળાય’, છે?

ગુંજન ગાંધી


Responses

  1. વાહહહહ સુંદર ગઝલ

    Like

  2. facts of parampara

    Like

  3. આંતરિક વ્યથાની ગઝલ… વેદના સહજ ઉજાગર થઈ છે..

    Like

  4. સરસ ગઝલ

    Like

  5. બહુ માર્મિક અને વાસ્તવિક ગઝલ. બહુ ગમી. મારા દિલી અભિનંદન

    Like

  6. Nice one

    Like


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: